Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો તથા થરાદ જિલ્લામાં સુપોષણની ધામધૂમથી ઉજવણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્વસ્થ ભારતના નિર્માણ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અંતરિયાળ ગામોમાં અને સમુદાયમાં બદલાવ આવી રહ્યો છે . સરકાર અને ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી સુપોષણ સંગીની બહેનો સઘન મેહનત કરી રહી છે . તેઓ ગ્રામ્ય લેવલે હેલ્થ તથા આઈ . સી.ડી.એસ વિભાગોના નર્સ , આશા બહેનો , અને આંગણવાડી બહેનો ની સાથે જોડાઈ ને વિવિધ કામગીરી કરે છે . જેમાં બાળકના પેહલા 1000 દિવસનું મહત્વ,અતિ કુપોષિત બાળકોની ઓળખ , ટી.એચ.આર નો ઉપયોગ , સંપૂર્ણ આહાર ની સમજ અને આંગણવાડી ની સેવાઓ પર ભાર આપવામાં આવે છે.ગુજરાતના નર્મદા જિલ્લામાં તેમજ બનાસકાંઠા ના થરાદ તાલુકામાં કરાયેલી કામગીરીથી આમૂલ પરિવર્તન આવ્યો છે . નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં ફરજ બજાવતી સુપોષણ સંગીની સોનલબેન વસાવા જણાવે છે કે , ટીમના અથાગ પ્રયત્નોથી કુપોષણના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો લાવી શક્યા છીએ . દેડિયાપાડાના સગર્ભા સુમિત્રાબેન સાથેન ઉદાહરણ વાગોળતા સોનલબેન જણાવે છે કે , “ ગત વર્ષે સગર્ભાવસ્થાની શરૂઆતથી અમે સુમિત્રાબેનની કાળજી લેવાની શરૂ કરી હતી . ટીમના માર્ગદર્શન મુજબ આહાર અને ઔષધિનાં સેવનથી તેઓ 3 કિલોગ્રામ વજન ધરાવતી તંદુરસ્ત બાળકીને જન્મ આપી શક્યા . " સુમિત્રાબેન જેવી હજારો મહિલાઓન` પ્રસૂતિપર્યંત અને બાદમાં નવજાતની તંદુરસ્તી વિશે સારસંભાળનું સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડી અદાણી ફાઉન્ડેશનની ટીમે સમાજમાંથી માતા અને શિશુઓને કુપોષણનો શિકાર બનતા અટકાવ્યા છે . નર્મદા જિલ્લાના આંકડાઓ ઉપર નજર કરીયે તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ( NFHS ) – 4 પ્રમાણે 35.8 % બાળકો અતિ કુપોષિત હતા . સુપૌષણ પ્રોજેક્ટ ની શરૂઆત થયા પછી , અને સરકાર ના સમર્થનથી , તાજેતરમાં NFHS – 5 પ્રમાણે આ આંકડો ઘટીને 23 % થઇગયો છે . નર્મદાની જેમ બનાસકાંઠાના થરાદ તાલુકામાં પણ સુપોષણ સંગીનીઓએ કમાલ કરી બતાવ્યો છે . સંગીની પૂર્ણાબેન જોષી અને ટીમે બજાવેલી અદભૂત કામગીરીના પગલે સણધર ગામને ‘ કુપોષણ મુક્ત ’ ગામ જાહેર કરવામાં આવ્યું છે . સુપોષણ સંગીનીઓની કામગીરીને ગ્રામજનોએ ખોબલે ખોબલે વધાવી અને સરપંચોએ સન્માપત્રથી બિરદાવી હતી , નર્મદા જિલ્લામાં 2,62, 088 અને થરાદ તાલુકામાં 31276 લાભાર્થીઓને સુપોષણ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે . ભારત સરકાર ના પોષણ અભિયાન ના અંતર્ગત અને સૂચના અનુસાર સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ રાજ્ય સરકાર ના સહયોગ થી માતા અને શીશુ માટે અનેકવિધ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું . પોષણ માસ દરમ્યાન નર્મદા તેમજ થરાદમાં સુપોષણ સંગીનીઓએ પોષણ રેલી , પોષણ સંવાદ , પોષણ સલાહ , પોષણ મેલા અંતર્ગત 20,000 લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યુ . તેઓ સગર્ભા , ધાત્રી અને નવજાત શીશુઓની સારસંભાળ , ખાન - પાન , અને કાઉન્સીલીંગની સેવાઓ પૂરી પાડે છે . પોષણ વાટીકા અંતર્ગત લાભાર્થીઓને મફત તંદુરસ્ત શાકભાજી મળી રહે તે માટે બીજ વિતરણ કરીને કિચન ગાર્ડન બનાવવા પણ પ્રેરિત કરવામાં આવ્યા
અદાણી ફાઉન્ડેશનના એકિઝકયુટિવ ડાયરેકટર વસંત ગઢવી જણાવે છે કે " સ્વસ્થ અને તંદુરસ્ત ' સમાજનું નિર્માણ થાય એ રાષ્ટ્રના વિકાસ માટેની પાયાની જરૂરિયાત છે . દરેક માતા,બાળક અને કિશોરીઓ કુપોષણ અને એનિમિયા મુક્ત બને તેમજ છેવાડાના પછાતવર્ગના તમામ નાગરિક સંવેદનશીલ બને અને તેમનામાં જાગૃતિ આવે તે માટે અદાણી ફાઉન્ડેશનની ટીમ કટિબધ્ધ છે ' પ્રોજેક્ટ સુપોષણ ' આર્મી ‘ ( સંગીની ટીમ ) અલગ અલગ કાર્યપ્રવૃત્તિ દ્વારા વ્યવહાર પરિવર્તનમાં ફેરફાર લાવવા સતત પ્રયત્નશીલ છે . સંગીની બહેનો સરકાર અને સમુદાય વચ્ચે સાંકળ તથા પુલ બનીને સરકારી સેવાઓનો લાભ લોકો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે માટે સઘન પ્રયત્ન કરી રહી છે . મને આશા છે કે સુપોષણની જ્યોત ગામે ગામ ચાલતી રહશે અને તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે " . તેઓ કહે છે કે અદાણી ફાઉન્ડેશનના પ્રયાસો માં રાજ્ય સરકાર ના આઈ.સી.ડી.એસ ડીપાર્ટમેન્ટ અને તેના જિલ્લાના તંત્ર નો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. શીશુના જન્મ બાદ પ્રારંભમાં વાલીએ બાળકના કુપોષણનો ખ્યાલ પણ આવતો નથી , તેવામાં સુપોષણ પ્રસૂતા અને શીશુઓની કરાતી દકારના પરિણામે સમાજના અભિગમમાં આવેલું પરિવર્તન પ્રસંશનીય છે . શ્રીમતિ ક્રિશનબેન પટેલ , પ્રોગ્રામ ઓફિસર , આઈ.સી.ડી.એસ ( નર્મદા ) જણાવે છે કે , " કુપોષણ જેવી સમસ્યાને સરકાર , વિવિધ સંસ્થાઓ , અને સમુદાયના સંકલન થકી જ નાથી શકાશે , અને આવી સમસ્યાને નિવારવા લાઈફ સાઇકલ એપ્રોચ થી કામ કરવાની જરૂર છે . આવા ઉમદા કામગીરી માં જોડાયેલ જિલ્લાના 215 સુપોષણ સંગીની બહેનો અને અદાણી ફાઉન્ડેશનની ટીમ ને અભિનંદન પાઠવું છું . " નાના નાના પ્રયાસો થકી જ ટકાઉ પરિવર્તન લાવી શકાય છે . જેમાં સારવાર સાથે કુપોષણ અટકાવવા અને સમુદાય સ્તરે જ નિવારણ લાવવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવે છે . અદાણી વિલમાર ના સૌજન્ય થી અદાણી ફાઉન્ડેશન આજ ની તારીખ માં પ્રોજેક્ટ સુપોષણ હેઠળ રાજ્યો 12 માં કામ થઇ રહ્યું છે

(11:05 pm IST)