Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમદાવાદમાં મેટ્રો રેલનું કામ પુરજોશમાં જીવરાજ ચાર રસ્તા અને જીવરાજ હોસ્પિટલથી વેજલપુર સુધીનો માર્ગ 17 દિવસ બંધ રહેશે

આગામી 17-10-2021 સુધી આ માર્ગ બંધ થતા 2 વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યાં

અમદાવાદ :શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ પુરજોશમાં શરૂ છે. જીવરાજ ચાર રસ્તા પાસે ફ્લાયઓવર થોડા દિવસો પહેલા બંધ રહ્યા બધ હવે વધુ માર્ગ બંધ થવા જી રહ્યો છે. મેટ્રો રેલનું કામ સહ્રૂ હોવાથી જીવરાજ ચાર રસ્તા અને જીવરાજ હોસ્પિટલથી વેજલપુર સુધીનો માર્ગ 17 દિવસ માટે બંધ રેહશે. જીવરાજ ચાર રસ્તાના મધ્ય ભાગમાં બેરીકેટ લગાવી જીવરાજ હોસ્પિટલથી વેજલપુર ગામ તરફ જતો માર્ગ આગામી 17-10-2021 સુધી બંધ રહેશે. આ માર્ગ બંધ થતા 2 વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યાં છે.

વૈકલ્પિક માર્ગ – 1
1. જીવરાજ હોસ્પિટલ તરફથી આવી જીવરાજ ચાર રસ્તાથી સીધા વેજલપુર ગામ તરફ તથા જમણી બાજુ વળી શ્યામલ ચાર રસ્તા તરફ જતા વાહનોએ tv9 સામે મેટ્રો પી64-પી65 વચ્ચે યુ-ટર્ન લઈ જીવરાજ ચાર રસ્તાથી ડાબી બાજુ વેજલપુર ગામ તરફ તથા જીવરાજ ચાર રસ્તા સીધા શ્યામલ ચાર રસ્તા તરફ જવાનું રહેશે..

વૈકલ્પિક માર્ગ – 2
2. વેજલપુર ગામ તરફથી જીવરાજ હોસ્પિટલ તરફ તથા એપીએમસી માર્કેટ ચાર રસ્તા તરફ જતા વાહનો એ જીવરાજ ચાર રસ્તા મેટ્રો પિલર 72 થીપીલર 73 ના વચ્ચેના ભાગથી સીધા જીવરાજ હોસ્પિટલ તથા જમણી બાજુ વળી એપીએમસી ચાર રસ્તા તરફ જવાનું રહેશે.ડાયવર્ઝન વાળો સમગ્ર રૂટ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે

(11:28 pm IST)