Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદિયા ગાંધીનગરમાં કરશે રોડ શો : અક્ષરધામ મંદિરમાં કર્યા દેવદર્શન

એરપોર્ટ પર આપ ના નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત : સાંજે સિસોદિયાનો પેથાપુરમાં રોડ શો યોજાશે : મનપાના ઉમેદવારો સાથે પણ સિસોદિયા મિટિંગ કરશે

મનિષ સિસોદીયા ગાંધીનગરમાં : 'આપ'ના વરીષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનિષ સીસોદીયા આજે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અક્ષરધામ મંદિર દર્શન જશે. પત્રકારોને સંબોધન કરનાર છે સાંજે રોડ શો પણ કરનાર છે. આ પ્રસંગે મહેશ સવાણી, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે આપના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો ગાંધીનગરમાં રોડ શો યોજાવાનો છે. આજે સાંજે સિસોદિયાનો પેથાપુરમાં રોડ શો યોજાશે.

અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા મનીષ સિસોદિયાનું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભેમાભાઈ ચૌધરી તેમજ પ્રવીણ રામ સહિતના નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.

મનીષ સિસોદિયા ગાંધીનગરના અક્ષરધામમાં દેવદર્શન કર્યા હતા ત્યારબાદ હવે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ત્યારબાદ ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે પેથાપુરમાં રોડ-શો કરી ચૂંટણી પ્રચાર કરશે.

મનીષ સિસોદિયા આજે આખો દિવસ મનપાની ચુંટણી પ્રચારમાં જોડાશે. આપના ગાંધીનગર  . ગાંધીનગરના લોકો અને આપના કાર્યકરો સાથે સિસોદિયાનો સંવાદ યોજાશે.

 

(1:07 pm IST)