Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વડોદરા નજીક સાવલીમાં કપિરાજનો આતંક:અવરજવર કરતા લોકો પર હુમલો કરતા વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો

વડોદરા:નજીક સાવલી ગામે છેલ્લા ચાર દિવસથી ગ્રામજનોમાં ભારે ખોફ ફેલાવનાર વાંદરને આખરે પાંજરે પુરવામાં આવ્યો છે.

સાવલી ગામે આવેલી જશોદા નગર સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી પૂંછડી વગરના વાનરએ અવર જવર કરતા લોકો પર હુમલા કરવા માંગતા પાંચથી છ લોકોને ઈજા થઈ હતી.

વાનર આવતા જતા લોકોને ધક્કો મારી ફેંકી દેતો હતો તેમજ બચકા પણ ભરતો હતો. જેના કારણે ગભરાટના માર્યા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. આ ઉપરાંત લોકો વાંદર થ બચવા માટે લાકડી અને અન્ય મારક હથિયારો સાથે તૈયારી રાખતા હતા.

ફોરેસ્ટ વિભાગને આ બાબતે જાણ કરાતા આજે વહેલી સવારે પાંજરૂ મુકીને હુમલાખોર વાંદરને કેદ કરવામાં આવ્યો હતો.

(5:20 pm IST)