Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સપ્ટેમ્બરનો વરસાદ કેવો રહેશે ? અંબાલાલ પટેલ શું કહે છે

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સપ્ટેમ્બરના અંત સુધી પણ રહે અને ઓકટોબર માસમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. ૨૯ ઓગસ્ટથી  ૨ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

હજુપણ સાગરમાં હવાના દબાણ ઉભા થવાથી ૩ સપ્ટેરથી ૧૦ સપ્ટેબર સુધીમાં આરાસુરના ભાગોમાં ઉત્ત્।ર ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી ઝાપટાઓની સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તથા પંચમહાલ અને સાપુતારાના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

અગસ્યનો ઉદય થવાથી બધા ભાગોમાં વરસાદનુ જોર ઘટી જતુ હોય છે પણ ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ પડતો હોય છે. પૂર્વ ફાલ્ગુની સૂર્ય નક્ષત્રનું વરસાદનું પાણી ઉભા કૃષી પાકો માટે સારૂ ગણાતુ નથી તેમ હવામાન જયોતિષ શાસ્ત્રી અંબાલાલ દામોદર પટેલ જણાવે છે.

સૌરાષ્ટ્ર્ પર સાકલોનિક સરકયુલેશન સક્રિય છે. જેના કારણે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ૨૪ કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટશે અને સિસ્ટમ નબળી પડી જશે. બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામા આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરી છે.

તેમજ બંગાળ ઉપર ફરી એક લો પ્રેશર ૨૪ કલાકમાં બની જશે. અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેના પર હવામાન વિભાગ દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે મજબુત સિસ્ટમ બનીને આગળ વધશે તો ફરી સારો વરસાદ થવાનુ અનુમાન છે.

(3:46 pm IST)