Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હાર્દિક પટેલનો દાવો 60,000 લોકો મળવા આવ્યા પણ માત્ર 1124ને જ મળવા દેવાયા

મારા ઘરમાં કોણ આવશે કોણ નહીં તેનો નિર્ણય પોલીસ અને ભાજપ કરી રહી છે.

અમદાવાદ :ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક પટેલે પોતાને મળવા આવતા સમર્થકોને અટકાવી રહેલી પોલીસ અને સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે બંધારણમાં નવી કલમ ઉમેરાઇ છે કે શું? મારા ઘરમાં કોણ આવશે કોણ નહીં તેનો નિર્ણય પોલીસ અને ભાજપ કરી રહી છે. હાર્દિકે દાવો કર્યો કે તેને 60,000 પણ વધુ સમર્થકો મળવા આવ્યા પણ પોલીસે તેમાંથી માત્ર 1124 લોકોને જ તેના ઘર સુધી આવવા દીધા.

(8:48 pm IST)