Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમદાવાદની રથયાત્રામાં ૨૫૦૦૦થી વધુ જવાનો દ્વારા સુરક્ષાચક્રઃ યાત્રા માર્ગે પગપાળા ફરતા ગૃહમંત્રી પ્રદીપસિંહ

રાજકોટઃ અમદાવાદમાં અષાઢી બીજે નિકળનાર પરંપરાગત ભવ્ય રથયાત્રાની આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરેલ. યાત્રામાં ૨૫૦૦૦થી વધુ પોલીસ જવાનો દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. એન.એસ.જી. કમાન્ડો પણ ખડેપગે રહેશે. બંદોબસ્તમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે. આજે મંત્રી શ્રી જાડેજાએ દરીયાપુર પોલીસ સ્ટેશન, તંબુ ચોકી, દિલ્હી ચકલા વગેરે માર્ગો પર પગપાળા પસાર થઈ પૂર્વ તૈયારીની માહિતી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:15 pm IST)