Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી પતિ ઘર અને પરિવાર છોડવા મજબુર બન્યા પત્નીનો આક્ષેપ

બુરહાનુદ્દીને નદીમાં કૂદી જવાની ચીમકી સાથે તમામ વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો

રાજ્યમાં વ્યાજખોરોના આંતકમાં વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી આ દૂષણનાં કારણે અનેક લોકો એ જીવ ગુમામવવો પડ્યો છે. જ્યારે આવો જ એક કિસ્સો પંચમહાલમાં સામે આવ્યો છે. પંચમહાલમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે..ગોધરામાં બાપજી બોરવેલના નામે વ્યવસાય કરતા બુરહાનુદ્દીન અહેમદ ડોડીયા વ્યાજખોરોના ત્રાસથી ઘર અને પરિવાર છોડવા મજબૂર બન્યાનો પત્નીએ આક્ષેપ કર્યો છે.

  ભોગ બનનાર બુરહાનુદ્દીન અહેમદ ડોડીયાએ પોતાની આપવીતિની એક ઓડિયો ક્લિપ અને સ્યુસાઇડ નોટ તેના મિત્રોને સોશિયલ મીડિયામાં મોકલી છે.જે બુરહાનુદ્દીને નદીમાં કૂદી જવાની ચીમકી ઉચ્ચારતાની સાથે તમામ વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે.ગુરૂવારની સાંજથી બુરહાનુદ્દીન ડોડીયા ગૂમ થતા પરિવારજનોએ ચિંતા વ્યકત કરીને સ્થાનિક પોલીસને જાણ કરી છે.

(11:36 pm IST)