Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના ૩ યુવાનો હરિદ્વારમાં ડૂબ્યાં: એકનો મૃતદેહ મળ્યો

ઋષિકેશ બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીત ત્રણ યુવકો ગંગામાં ડૂબ્યા.: પોલીસ અને એનડીઆરએફની ટીમ કામગીરીમાં લાગ્યા

સુરત, તા.૨૯: ચારધામની યાત્રાએ ગયેલા યુવકનું ઉત્ત્।રાખંડની નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ સાથે તેને બચાવવા કૂદેલા અન્ય બે મિત્રોનો હજુ સુધી પતો લાગ્યો નથી. તેમની શોધખોળ ચાલી રહી છે.

 

સુરતના વાડીફળિયામાં રહેતા ૧૫ યુવાનો ચારધામની યાત્રાએ ગયા હતા. જેઓ શુક્રવારે ઉત્તરાખંડના હરિદ્વારામાં રિવર રાફ્ટિંગ માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ફેનિલ ઠક્કર નામનો યુવક નદીમાં લપસી પડ્યો. આ દરમિયાન ફેનિલને બચાવવા માટે તેના અન્ય બે મિત્ર જેનીસ પટેલ અને કૃણાલ કોસાડીયા પણ કૂદ્યા. નદીનું વહેણ એટલું હતું કે તે બંને પણ તણાઈ ગયા.

થોડા કલાક બોદ ફેનિલ ઠક્કરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. જયારે જેનીસ અને કૃણાલની શોધ હાથ ધરવામાં આવી પરંતુ મોડી રાત સુધી તેમનો પત્ત્।ો લાગ્યો નહોતો. સુરતના ૩ યુવાનો ડુબી જવાની ઘટનાને કારણે વાડીફળિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.(૨૩.૧૦)

(11:47 am IST)