Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમદાવાદ-ચેન્નાઇ હમસફર એક્સપ્રેસ ગાંધીધામ સુધી લંબાવાઈ

 

અમદાવાદ, રેલવે મંત્રાયલયે  હમસફર ટ્રેન શરૂ કરી જતી જેમાં અમદાવાદ-ચેન્નાઇનો પણ સમાવેશ કરાયો છે. આ ટ્રેનને હવે ગાંધીધામ સુધી લંબાવવામાં આવી છે જેના કારણે મુસાફરોને નવા રૂટની સુવિધા મળશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા દુરંન્તોને રાજકોટ સુધી લંબાવવામાં આવી હતી.

  અમદાવાદ-ચેન્નાઇ હમસફર એક્સપ્રેસ સપ્તાહમાં બે દિવસ ચાલે છે. હવે આ ટ્રેનને ગાંધીધામ સુધી લંબાવવામાં આવતા મુસાફરોને ઘણીય રાહત થશે. આ ટ્રેન ગાંધીધામ-તુરૂનવેલી સુધી દોડાવાશે જે ટ્રેન આગામી પાંચમી જુલાઇથી તુરૂનવેલી ચાલશે જ્યારે ગાંધીધામથી આ ટ્રેન નવમી જુલાઇ સોમવારના રોજ પ્રસ્થાન કરશે. આ ટ્રેનને લંબાવવાની રજૂઆત એક સાંસદે દિલ્હી રેલવે મંત્રાલયને કરી હતી જેના ભાગરૂપે આ ટ્રેનને એક્સટેન્ડ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

(1:30 am IST)