Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પક્ષમાં કોઈપણ પ્રકારની નારાજગી નથી ;ભાજપ ભ્રમ ફેલાવે છે :પરેશ ધાનાણી

અચાનક બેઠક બોલાવવાથી ધારાસભ્યો હાજર રહી શક્યા નથી :કુંવરજીભાઇ અંગત કારણોસર ગેરહાજર

 

અમદાવાદ ;લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યો-પદાધિકારીઓમાં અસંતોષ ભભૂક્યો છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં ધારાસભ્યોની બેઠક મળી હતી  જોકે આ બેઠક નિરસ રહી હતી. બેઠકમાં નારાજ કુંવરજી બાવળિયાની ગેરહાજરી ઉડીને આખે વળગી હતી

 

  ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યુ છે કે, પક્ષમાં કોઈપણ પ્રકારની નારાજગી નથી. કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે, તેવી વાત ભાજપ ફેલાવી રહ્યુ છે. ભાજપે ઉભો કરેલો આ એકમાત્ર ભ્રમ છે. ગુજરાત કોંગ્રેસે આ બેઠક અચાનક બોલાવી હોવાથી, અમુક સભ્યો હાજર રહી શક્યા નથી. કુંવરજી બાવળીયા અંગત કારણોસર હાજર રહ્યા નથી.

(11:57 pm IST)