Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પાટણ જીલ્લામાં કોરોના એ વધુ એકનો ભોગ લીધો : વધુ ર કેસ

પાટણ, તા. ર૯ :  પાટણ શહેરના ભદ્ર વિસ્તાર નજીક આવેલા મોટા પનાગરવાડામાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધને થોડાક દિવસો અગાઉ જ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે આજરોજ સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. જેથી પાટણ શહેરમાં કોરોનાથી મૃત્યુ આંક ૪ થયો છે. અને જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો ૬ પર પહોંચી ગયો છે.

ચાણસ્મા તાલુકાના રણાસણ ખાતેથી વધુ એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ૧૭ વર્ષિય કિશોરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં તેને સારવાર માટે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ પાટણના કમલીવાડા ગામના વૃદ્ધનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ પાટણ જિલ્લામાં કોરોના વાયરસ ડિસીઝના કુલ કેસનો આંકડો ૭પ એ પહોંચ્યો છે.

(3:13 pm IST)