Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડોદરામાં માનસિક ત્રાસથી કંટાળી કિન્નરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર

બરાનપુરા કિન્નર સમાજ પર આક્ષેપો કરાયા

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં એક કિન્નરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કિન્નર આરતીકુંવરબાના આપઘાત પાછળ વડોદરા કિન્નર સમુદાયની જૂથબંધી હોવાનું કારણભૂત મનાય છે  

     આપઘાત કરાયેલા કિન્નર આરતીકુંવરબાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે જ્યાં મોટી સંખ્યામાં કિન્નરો એકઠા થયા હતા. હોસ્પિટલ ખાતે પહોંચેલા કિન્નર સમાજ દ્વારા બરાનપુરા કિન્નર સમાજ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

   મૃતક કિન્નર તેના પરિજનો સાથે રહેતી હતી જેથી તેને અન્ય કિન્નર સમાજ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ત્યારે અગાઉ પણ ત્રણ કિન્નરોએ માનસિક ત્રાસના કરાણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કિન્નરો દ્વારા ન્યાયિક તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.

(11:53 pm IST)