Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદના અમરાઈવાડીમાં મેટ્રો ટ્રેન અધવચ્ચે ખોટવાઈ

રેસ્ક્યુ ઓપરેશન માટેની મોકડ્રીલ યોજાઇ:300 કર્મચારીઓ જોડાયા

અમદાવાદ: સુરતમાં તાજેતરમાં આગની ઘટનામાં 21 વિદ્યાર્થીઓના મોત બાદ લોકોની સાવચેતી માટે તંત્ર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે  બપોરે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મેટ્રો ટ્રેન અધવચ્ચે ખોટવાઇ જાય તો તે અંગે રેસ્ક્યુ ઓપરેશન માટેની મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં 300 જેટલા કર્મચારીઓ જોડાયા હતા.

   મેટ્રો ટ્રેનને અધ વચ્ચે અટકાવી દેવાઇ હતી અને ત્યાર બાદ મોકડ્રીલમાં સામેલ લોકો મેટ્રો ટ્રેનના બ્રિજ-ટ્રેક પર ચાલતા સ્ટેશન સુધી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોકડ્રીલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(7:25 pm IST)