Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

આણંદમાં રવિવારના રોજ ભરાતી શાક માર્કેટમાં ગઠિયાઓ સાત જેટલા ગ્રાહકોના મોબાઈલ ફોન તફડાવી છૂમંતર...

આણંદ: શહેરના પથિકાશ્રમ ખાતે દર રવિવારના રોજ ભરાતી શાક માર્કેટમાં કોઈ ગઠિયાએ કરામત કરીને સાત જેટલા ગ્રાહકોના ફોન ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે શહેર પોલીસે અરજીઓ લઈને તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર રવિવારના રોજ મોટી શાકમાર્કેટ બંધ હોય છે જેને લઈને આણંદ અને તેની આસપાસના ખેડૂતો દ્વારા પથિકાશ્રમ ખાતે શાકમાર્કેટ ભરીને ત્યાં પાથરણાં પાથરીને શાકભાજીનો વેપાર કરવામાં આવે છે. વહેલી સવારથી આવી જતાં વેપારીઓને કારણે રવિવારે અહીંયા ગ્રાહકોની ભીડ ઉમટતી હોય છે. ગત રવિવારના રોજ પણ શાક માર્કેટ ભરાયું હતુ તે દરમ્યાન કોઈ ગઠિયાએ આવીને એકબાદ એક સાત જેટલા મોબાઈલ ફોનો ચોરી કરી લીધા હતા. સીફ્તપૂર્વક ખીસ્સામાં રાખેલા મોબાઈલ ફોનો ચોરાતાં કેટલાક ગ્રાહકોએ શહેર પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપી હતી

(5:48 pm IST)