Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગળતેશ્વર તાલુકા નજીક કેનાલમાં અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવાને મોતની છલાંગ લગાવી

ગળતેશ્વર: તાલુકાના સુખીની મુવાડીના ૨૧ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણસર થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલ નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું. બનાવને લઈ નાના એવા ગામમાં ચકચાર મચી છે. સવારે લગભગ ૧૧ વાગ્યાની ઘટના બાદ પડતુ મૂકનાર યુવકને કેનાલમાં શોધવા ફાયર બ્રિગેડ દ્વારા લખાય છે ત્યારે પ્રયત્નો ચાલુ છે. જો કે હજુ સુધી કોઈ કળી મળી નથી. યુવક આગળ પાણીમાં ખેંચાઈ ગયો હોવાની શંકા સેવાઈ રહી છે.બીજી બાજુ પરિવારના સભ્યોના રૂદનથી ચોતરફ ગમગીની છવાઈ ગઈ છેમળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડીમાં રહેતાં ૨૧ વર્ષીય દિપકભાઈ બળવંતસિંહ ઝાલા નામના યુવકે આજે સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના પગલે નજરે જોનાર લોકોમાં બચાવો...બચાવો ની બૂમો શરૂ થઈ ગઈ હતી. કેનાલના વહેતા પાણીમાં દિપક આગળ ખેંચાવા લાગ્યો હતો. પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. અને ફાયરબ્રિગેડે કેનાલમાં દિપકને શોધવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. લખાય છે ત્યારે પણ પ્રયત્ન ચાલુ છે. પરંતુ હજુ સુધી દિપકની કોઈ ભાળ મળી નથી. બાબતે સેવાલિયા પોલીસને પુછતાં તેમણે જણાવ્યું હતું કે કેનાલમાં જંપલાવનાર યુવકનું નામ દિપક બળવંતસિંહ ઝાલા છે. અને તેની ઉંમર ૨૧ છે. કયા કારણે તેમણે જંપલાવ્યું તે હજુ જાણવા મળ્યું નથી. હાલમાં ફાયરબ્રિગેડ તેમને શોધવા કામે લાગી છે

(5:45 pm IST)