Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદના નિકોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી

અમદાવાદ:નિકોલમાં રહેતા વેપારીએ સાત અલગ અલગ શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. શખ્સોએ પૈસાની ઉઘરાણી માટે વેપારીને તેણે આપેલા ચેકોનો દુરૃપયોગ કરીને લુખ્ખા તત્વો  દ્વારા પૈસા કઢાવવાની ધમકી આપી હતી. જેને પગલે વેપારીએ ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

બનાવની વિગત મુજબ નિકોલમાં રો હાઉસ, ન્યુ ઈન્ડીયા કોલોનીમાં રહેતા જયેશભાઈ એન.બારોટ (૪૯) ન્યુ ઈન્ડીયા કોલોનીમાં ડેરી પાર્લર ધરાવે છે. તેમને ધંધા માટે પૈસાની જરૃર પડતા સાત અલગ અલગ શખ્સો પાસેથી અંદાજે ૧૧ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા. જેમાંથી અમુકને તેમણે થોડી રકમ ચુકવી હતી.

(5:39 pm IST)