Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સુરતના કતારગામ પોલીસ સ્ટેશન પર મંજૂરી વિના જીમ બની ગયું : મનપાએ આપી નોટિસ

સોલાર પેનલ નાખવા માટે સ્ટ્રક્ચર ઉભુ કરાયું નીચે જિમ બનાવાયું

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં લાગેલી આગમાં 21 જેટલા વિદ્યાર્થીઓના મોત બાદ સમગ્ર તંત્ર ગેરકાયદે ડોમ સહિતના સ્ટ્રક્ચર દૂર કરવામાં લાગ્યું છે. ત્યારે સુરતના કતારગામ પોલીસ સ્ટેશન પર મંજૂરી વિના બનેલ જીમને દૂર કરવા માટે સુરત મનપાએ નોટિસ આપી છે.

  કતારગામ પોલીસ સ્ટેશનની ઇમારત બનાવનાર બિલ્ડર લાલજીભાઇ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનની ઉપર સોલાર પેનલ નાખવા માટે સ્ટ્રક્ચર ઉભુ કરાયું છે. જેની નીચે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યના લાભ માટે જીમ બનાવાયું છે. આ જીમ માટે જરૂરી મંજૂરી પણ માગવામાં આવશે.

(2:26 pm IST)