Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદના ત્રણ નશાખોર નબીરાઓએ અંબાજીમાં મચાવ્યો આતંક :ત્રણ ઝડપાયા

ત્રણથી ચાર અકસ્માત સર્જી રાજસ્થાન તરફ ભાગવા પ્રયાસ :પોલીસ ન હોવા છતાં કારમાં પોલીસ લખાવ્યું હતું

અંબાજીમાં પોલીસ લખેલી સીફ્‌ટ કારના ચાલકે ૩ થી ૪ અકસ્માત કરી રાજસ્થાન તરફ ફરાર થતાં સ્થાનિક લોકો સહીત અંબાજી પોલીસે પીછો કરતા અંબાજીની આરટીઓ ચેકપોસ્ટ પરથી ઝડપી લીધા હતા.જોકે, આ સીફ્‌ટકાર અમદાવાદની હોવાનું માલુમ પડેલ છે. આ કારમાં ઝડપાયેલા ૩ શખ્સો જેમાં સુભમસિંહ રામકિશન ચૌહાણ, કમલેશ રમેશભાઈ પ્રજાપતિ અને મૌલિક ભરત પંચાલ ત્રણે રહે.અમદાવાદ નરોડાના હોવાનું જાણવા મળેલ છે

  . જોકે ઝડપાયેલા આ ત્રણે વ્યક્તિઓ કોઈ પોલીસમાં ન હોવા છતાં પોતાની સીફ્‌ટ કાર આગળ પોલીસનું બોર્ડ લગાવી અકસ્માત સર્જી ભાગતા હતા તેમને અંબાજી પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.આ ત્રણે શખ્સો નસો કરેલી હાલતમાં હોય તેવું જોવા મળ્યું હતું અકસ્માત સર્જી ભાગી રહેલી સિફ્‌ટ કારના કાચ પણ તુટી જવા પામ્યા હતા. હાલમાં સિફ્‌ટ કાર સહીત ઝડપાયેલા ત્રણે શખ્સોને અંબાજી પોલીસમાં રખાયા છે.

(12:31 pm IST)