Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સુરતમાં બીમારીથી કંટાળીને સગીરએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

રૂમનો દરવાજો બંધ કરી પ્લાસ્ટિકના સ્ટૂલ પર ચઢી છતના હૂક સાથે ગમછું બાંધી ગળાફાંસો ખાઇ લીધો

સુરતના ગોડાદરામાં ત્રિવેણીનગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના 15 વર્ષીય અભિષેક છોટુભાઇ ચૌધરી ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. તેને એક ભાઇ અને એક બહેન છે. તેના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.


દરમિયાનમાં અભિષેક છેલ્લાં ગણાં સમયથી પથરી અને કમળાની બીમારીથી પિડાતો હતો. આ બીમારીઓથી તે કંટાળી ગયો હતજેથી પોતાના ઘરે રૂમનોદરવાજો અંદરથી બંધ કરી પ્લાસ્ટિકના સ્ટૂલ પર ચઢી જઇ છતના હૂક સાથે ગમછું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસે તપાસ આદરી છે.

(9:11 am IST)