Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અંકલેશ્વરની કંપની સાથે 1,90 કરોડની ઠગાઈ કરવાના આરોપસર મુંબઇનો ભારત શાહ ઝડપાયો

લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી :મુંબઈ એરપોર્ટ પરથી પકડી લેવાયો:રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો

અંકલેશ્વરની એક કેમિકલ કંપની સાથે 1,90 કરોડની ઠગાઈ કરવાના આરોપસર મુંબઈના ભરત શાહને ઝડપી લેવાયો છે

 આ અંગેની જાણવા મળતી વિગત મુજબ અંકલેશ્વરની નારાયણ ઓર્ગેનિક નામની કમ્પની પાસેથી 23 ટન જેટલો કેમીકલ નો જથ્થો મુંબઈ ના ભરત શાહ નામના શખ્સે ખરીદ્યો હતો. જેની 1.19 કરોડ ની રકમ 90 દિવસમાં ચુકવી દેવાનો વાયદો કર્યો હતો.

    ભરત શાહ દ્વારા નાણાં નહીં આપતાં કંપની સંચાલકે તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ પકડથી બચવા માટે ભરત શાહ ભાગતો ફરતો હતો. જેની સામે લુક આઉટ નોટીસ જારી કરવામાં આવી હતી. આખરે ભરત શાહ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાઈ જતાં પોલીસ દ્વારા તેના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

(8:53 pm IST)