Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મારુ ગામ કોરોના મુક્ત ગામ : કોરોના સંક્રમણને ઓછું કરવા જાગૃતિ લાવવા 1થી15 મેં સુધી રાજ્ય સરકારનું ખાસ અભિયાન

રાજ્યના સ્થાપના દિવસથી એક પખવાડિયા સુધી રાજ્ય સરકાર અભિયાન ચલાવશે

અમદાવાદ :રાજ્યમાં વિકાસમાં ગ્રામ્ય વિસ્તારોનો મહત્વનો ફાળો છે. ત્યારે ‘મારૂં ગામ કોરોના મુક્ત ગ્રામ’ અભિયાન શરૂ કરાશે કોરોના સામેની લડતને સફળ બનાવી જનજાગૃતિથી કોરોના સંક્રમણથી પોતાના ગામને મુક્ત રાખવા માટે ખાસ અભિયાન ચલાવાશે

રાજ્યના સ્થાપના દિવસ પહેલી મેં થી 14 મેં સુધી પંદર દિવસ સુધી કોરોના સંકરણ ઓછું કરવા રાજ્ય સરકાર દ્વારા અભિયાન હાથ ધરશે ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’નો સંકલ્પ સતર્કતા, જવાબદારી અને સૌના સહયોગથી પાર સરકાર પ્રયાસ કરશે

(11:00 pm IST)