Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

દાહોદના દેવગઢ બારીયાના એક યુવકે કોરોનાના ડરથી આત્મહત્યા કરી:તળાવમાંથી મૃતદેહ મળ્યો

બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ મળ્યો : પરિવારમાં શોકનો માહોલ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના એક યુવકે કોરોનાના ડરના કારણે આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો.

દાહોદના દેવગઢબારીયાના યુવાને કોરોના પોઝિટિવ થવાના ડરે બે દિવસ અગાઉ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

(1:34 pm IST)