Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સમાધાન માટે વિદ્યાનગરમાં ચાર વ્યક્તિએ બોરીયાવીના શખ્સને બોલાવી માર મારતા ફરિયાદ

વિદ્યાનગર: શહેરમાં રહેતા વ્યકિતને સમાધાન માટે ચાર વ્યકિતઓએ બોરીયાવી બોલાવીને ઝઘડો કરીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતોમાં વિદ્યાનગરના મયુરભાઇ પટેલ અને તેમના સાહેદ હરીશભાઇને કોર્ટમાં ચાલતા કેસ માટે બોરીયાવીના સૂર્યકાંતભાઇ પટેલ સહિતનાઓએ બોરીયાવી નજીકના નેશનલ હાઇવે નં.૮, કોલ્ડ સ્ટોેરેજની બાજુમાં બોલાવ્યા હતા. 

જેમાં સમાધાન માટે હિસાબના નાણાં આપી દેવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં તપન પટેલે લાકડી વડે હરીશભાઇના જમણા હાથના અંગૂઠાએ ફ્રેકચર કર્યુ હતં. જયારે રુશીન પટેલે ડાબી આંખ નજીક લાકડી ફટકારતા ઇજા પહોંચી હતી. ત્યારબાદ ચારેય વ્યકિતઓએ ભેગા મળીને ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડયાની આણંદ રુરલ પોલીસ મથકે મયુરભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારેય વ્યકિતઓ સામે ગૂનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)