Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

બારડોલી સેશન્સ કોર્ટનો ચુકાદોઃ ૧૧ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ૨ નરાધમોને ફાંસીની સજા

બારડોલી સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ બી. જી. ગોલાણીએ ખુલ્લી અદાલતમાં ચુકાદો આપ્યા

સુરત : સુરતના જોળવામાં થયેલ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે કોર્ટે સજા ફટકારી છે. આરોપીઓએ ૧૧વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા કરી રૂમમાં પુરી ફરાર થઇ ગયા હતા. જે આરોપીઓને કોર્ટે આજે સજા સંભળાવી છે.

૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ૧૧ વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા કરી રૂમમાં પુરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, બારડોલી સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ બી. જી. ગોલાણીએ ખુલ્લી અદાલતમાં ચુકાદો આપ્યો

(12:00 am IST)