Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ફકત સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલમાં ઉજવાયેલ શ્રી નરનારાયણદેવ જન્મોત્સવ અને ફુલદોલોત્સવ

ઠાકોરજીને કેસુડાના જળનો છંટકાવ કરાયો

 અમદાવાદ તા. ૨૯ ઉત્સવોની પરંપરાગત ઉજવણી પ્રમાણે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દરવરસે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને SGVP ગુરુકુલ ખાતે શ્રી નરનારાયણદેવનો જન્મોત્સવ અને  ફુલદોલોત્સવ ઉજવાય છે.

પણ આ વરસે આવા કોરાનાના સમયમાં સરકારના આદેશ પ્રમાણે, ફકત સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં,  SGVPમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજની ચારે બાજુ રંગ બેરંગી સાડીઓ, સુવર્ણ કળશો અને કેસુડાના જળથી ભરેલ માટલાઓના શણગાર કરી, સુવર્ણ વાઘા ધરાવી, કેસુડાના જળનો છંટકાવ કરી આરતી ઉતારી સાદાઇથી ઉત્સવ ઉજવ્યો હતો.

(11:25 pm IST)