Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

સુરતના એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે ટ્રકમાં બેસીને પોતાના વતન જતા વેળાએ મહેસાણા અમદાવાદ હાઇવે પર અકસ્માત: ૩ નાં મોત

મહેસાણા : કોરોના વાયરસને (coronavirus) કારણે વિશ્વમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારે સુરતના  (Surat) એક પરિવારનાં સભ્યો કોરોનાથી બચવા માટે એક ટ્રકમાં બેસીને પોતાના વતન જતા હતા. ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે (Mehsana Ahmedabad highway) પર અકસ્માતમાં (Accident) ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ત્રણથી ચાર જણ ઇજાગ્રસ્ત થયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતની ખાંડ મિલમાંથી ખાંડની બોરી ભરીને ટ્રક પાલનપુર તરફ આવતી હતી. ત્યારે સુરત નજીક લોકડાઉનના પગલે રાજસ્થાન તેમજ પાલનપુરના શ્રમિકો ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક તેમજ સ્થાનિક પોલીસે પણ માનવતા દાખવીને છથી સાત જેટલા લોકોને સુરતથી ટ્રકમાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હતા.

ત્યારે ખાંડ ભરેલી ટ્રક શુક્રવારનાં વહેલી સવારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર જગુદણ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રક ચાલકને ઝોંકુ આવી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેમાં બેઠેલા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

(1:30 pm IST)