Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય મણીપુરા ખાતે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

બોર્ડની પરીક્ષા પુર્વે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહીત કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય મણીપુરા ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓમો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. 

 શુભેચ્છા સમારંભમાં બોર્ડની પરીક્ષા પુર્વે ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉત્તમ પરીણામ માટે શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા વિકાસ અધિકારી ડી.એન ચારણ, વિરમગામ તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન અને શાળાના ટ્રસ્ટી મંડળના સભ્ય પ્રમોદભાઇ પટેલ, હિન્દુસ્તાન ગમ કંપનીના અતુલભાઇ, આચાર્ય મહેશભાઇ દેસાઇ, ટ્રસ્ટી ગણ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.

(4:42 pm IST)