Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

માંડલ ખાતે એનીમિયા થવાના કારણો, અસરો અને નિવારણના પગલાઓ અંગે સમાજ આપવામાં આવી

બી.આર.સી ભવન માંડલ ખાતે ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપમાં આર. સી.એચ.ઓ. ડો.ગૌતમ નાયક ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)  વિરમગામ અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકા ખાતે એનિમીયા થવાના કારણો, એનિમીયાની અસરો અને એનિમીયા નિવારણના પગલાઓ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. "એનિમિયા પ્રિવેન્શન ઇન પ્રેગ્નેન્ટ વુમન એન્ડ એડોલેશન ગર્લ" ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આયોજીત વર્કશોપમાં અમદાવાદ જીલ્લા આર.સી.એચ.ઓ. ડો. ગૌતમ નાયક.  સી.ડી.પી.ઓ મીતા જાની, તૃપ્તિ ભટ્ટ, ડૉ.અમીત, વિષ્ણુ ઉપાધ્યાય, ચેતન પટેલ, ડ્રીસ્ટીક પ્રોજેક્ટ એસોસિયેટ, ડ્રીસ્ટીક કો-ઓર્ડીનેટર, એન.એન.એમ ,મુખ્ય સેવિકાસહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  માંડલ સી.ડી.પી.ઓ મીતા જાનીએ જણાવ્યુ હતુ કે, બી.આર.સી ભવન માંડલ ખાતે ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત વર્કશોપમાં માંડલ તાલુકાની આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો તથા આશા બહેનોને સગર્ભા માતાઓ તથા કિશોરીઓને એનીમિયા થવાના કારણો તેની અસરો અને એનીમિયાના નિવારણના પગલાઓ અંગે વિસ્તૃતમાં સમાજ આપવામાં આવી હતી.

(4:41 pm IST)