Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મોરારજીભાઈના જન્મ સ્થળ ભદેલી ગામે વિજયભાઈના હસ્તે અનાવરણ- લોકાર્પણઃ વિકાસ પ્રોજેકટ અર્પણ

આજે ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૫મી જન્મ જયંતિ અનુસંધાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોરારજીભાઈના જન્મ સ્થળ વલસાડના ભદેલી ગામે વિવિધ લોકાર્પણ કર્યા હતા. સવારે સૌ પ્રથમ મોરારજીભાઈ દેસાઈની તકતી અને પ્રતિમાનું અનાવરણ વિજયભાઈના હસ્તે કરવામાં આવેલ. ત્યારબાદ નવનિર્મિત શ્રી મોરારજીભાઈ દેસાઈ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયુ હતુ. ઉપરાંત વિજયભાઈએ મોરારજીભાઈ જે શાળામાં ભણ્યા હતા તેની પણ મુલાકાત લીધી હતી. સાથો- સાથ ભદેલી ગામ ખાતે મોરારજીભાઈના સ્મરણાર્થે સ્મારક અને માળખાકીય સુવીધાઓના વિકાસના પ્રોજેકટનું પણ વિજયભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.

(3:51 pm IST)