Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

નર્મદા જિલ્લામાં શનિવારે ૨૪ કોરોના પોઝિટિવ કેસ નિકળતા સાવચેતી જરૂરી


(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૨૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૦૩ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૧, ગરુડેશ્વર તાલુકામાં ૦૦, દેડીયાપાડા તાલુકામાં ૦૯, સાગબારા તાલુકામાં ૧૧ તથા તિલકવાડા તાલુકામાં ૦૦ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૨૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૩ દર્દી સારવાર હેઠળ દાખલ છે,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૮૧ દર્દી દાખલ છે. આજે વધુ ૧૧૭૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:23 pm IST)