Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરતમાં કોરોનાકાળમાં પાલતુ પ્રાણીઓ લોકો માટે ફળદાયી નીવડયાઃ 155 પ્રાણીઓ દત્તક લેવા માટે 500 પરિવારની લાઇન લાગીઃ એડોપ્‍શન સેન્‍ટરમાં વેઇટીંગ

પ્રાણીઓનું તેમજ પરિવારોનું કાઉન્‍સેલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે

સુરત: કોરોનાકાળમાં પરિવારના સભ્યોને સમજવા માટે એક શ્રેષ્ઠ સમય રહ્યો છે, ત્યારે માત્ર મનુષ્યો માટે જ નહિ, પરંતુ પાલતુ પ્રાણીઓ માટે પણ ફળદાયી નીવડ્યો છે. કારણકે તે સમયે શ્વાન-બિલાડી મળીને ૧૦૩ એડોપ્શન થયા છે. જેમાં 15 જેટલા સ્ટ્રીટ ડોગ પણ છે. હાલ અંદાજે 15૫ પાલતુ પ્રાણીઓ માટે ૫૦૦ પરિવારોની લાઈન લાગી છે.

61લાખ થી પણ વધુ વસ્તી ધરાવતા સુરત શહેરમાં અંદાજિત ૨ લાખ કરતાં પણ વધુ પાલતુ પ્રાણીઓ છે. અહીં શ્વાન, બિલાડી, ઘોડા વગેરે પ્રાણીઓ પાળવામાં આવે છે. ત્યારે કોરોનાકાળમાં જ્યારે એક તરફ અને પાલતુ પ્રાણીઓને રસ્તે રઝળતા છોડી દેવાયા હતા, તો કેટલાકને પાણીપ્રેમી સંસ્થાને પણ સોંપાયા હતા. જોકે સારી વાત એ છે કે પક્ષી-પ્રાણીઓ માટે કામ કરતી શહેરની પ્રયાસ નામની એક સેવાભાવી સંસ્થા દ્વારા એડોપ્શન સેન્ટર શરૂ કરી એક નવી પહેલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આ પહેલ પ્રથમ છે.

મહત્વની વાત એ છે કે કોરોનાકાળમાં અહીંથી 103 જેટલા પાલતુ પ્રાણીઓને એડોપ્ટ કરાયા છે. જેમાં મોટે ભાગે શ્વાન છે અને બિલાડી છે. જે રીતે એક બાળકને એડોપ્ટ કરવા માટેની પ્રોસિજર હોય છે, તેવી પ્રોસિજર પાલતુ પ્રાણીઓને માટે પણ અહીં કરવામાં આવી રહી છે. ઉપરાંત પ્રાણીઓનું તેમજ પરિવારોનું કાઉન્સલિંગ પણ કરવામાં આવે છે. પ્રયાસ સંસ્થાના દર્શન દેસાઈએ કહ્યું કે, અહીં અમે એવા પ્રાણીઓને સાચવીએ છીએ જેમને ક્યાં તો તરછોડી દેવાયા હોય અથવા જેમને કોઈક કારણોસર રાખી ન શકવાને કારણે અમને સોંપાયા હોય. અહીં તેમના હેલ્થ, જમવાની અને રહેવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવે છે. એડોપ્શન માટે પરિવાર તેમજ તે શ્વાન કે બિલાડીનું બોન્ડીંગ, બન્નેના બિહેવીયર, આર્થિક પરિસ્થિતિ, પ્રેમ વગેરે દરેક બાબતોનું ધ્યાન રાખ્યા બાદ જ તે પ્રાણી પરિવારને સોંપાય છે. અહીંથી માત્ર સુરતમાં જ નહીં મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ ,વલસાડમાં પણ એડોપ્શન થયા છે. હાલમાં અહીં 12 થી 15 એનિમલ છે કે જે એડોપ્શન માટે તૈયાર છે અને તેમને માટે 500 પરિવાર વેઈટિંગ લિસ્ટમાં છે. દર ત્રીજા દિવસે અંદજીત એક એનિમલ કોરોનાકાળમાં એડોપ્ટ થયા છે. જેમાં સ્ટ્રીટ ડોગને પણ એડોપ્ટ કરવાનો રેશિયો ૧૫ થી ૨૦ ટકા છે. જેથી કહી શકાય કે લોકોમાં પહેલા કરતા જાગૃતતા આવી છે.

મેહુલ ઠાકુરે કહ્યું કે, 1 જૂન, 2015 ડાલમિશિયન માદા સિટીલાઈટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી હતી. તે પ્રેગનન્ટ હતી અને બાળકોને જન્મ આપવા માટે સુરક્ષિત જગ્યા શોધતી હતી. રેસ્ક્યુ કરીને જ્યારે તેને લાવ્યા ત્યારે માત્ર બે જ કલાકમાં તેણે ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો. અમે એડોપ્શન માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. એ સમયે 7 થી 8 પરિારોએ તેના બચ્ચાઓને દત્તક લેવા એપ્રોચ કર્યો હતો. તેની સારવાર દરમ્યાન ખબર પડી કે બહેરાશ હતી. જો કે તેને ચેન્નઈમાં એડોપ્ટ કરાયા છે અને તે ત્યાં થેરાપીસ્ટ તરીકે કામ કરે છે. એટલે કે તે અન્ય બીમાર બીમાર પ્રાણીઓને સાઈકોલોજીકલ રીતે સારા થવામાં મદદ કરે છે.

સંસ્થામાંથી પ્રાણી એડોપ્ટ લેનાર સચિતા અગ્રવાલે જણાવ્યું કે, મને પ્રાણીઓ વધુ પસંદ છે. સ્ટ્રીટ ડોગને ફીડ કરાવતી હતી. જેથી મેં સ્ટ્રીટ ડોગ જ એડોપ્ટ કર્યું છે. તે ૮ વર્ષનું છે. એડોપ્શન કર્યા બાદ મને થયું એ લોકો માટે મારે કામ કરવું છે. જેથી મેં અહીં કામ શરૂ કર્યું છે. સ્પેશિયલ બ્રીડના ડોગ ક્યૂટ દેખાતા હોવાથી લોકો તેને એડોપ્ટ કરે જ છે. પરંતુ મારે કહેવું છે કે સ્ટ્રીટ ડોગને પણ આપણી જરૂર છે. જે બાબતે લોકોએ વિચારવું જોઈએ. તેઓ પણ એટલા જ પ્રેમાળ હોય છે.

(4:58 pm IST)