Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધારીખેડા સુગરમાં ફાંસો ખાનાર યુવાનની ઘટનામાં પોલીસ ફરિયાદમાં નવો ખુલાસો : પથરીની બીમારીથી કંટાળી ફાંસો ખાધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ધારીખેડા સુગર ફેકટરીમાં કામ કરતા મજુરે ફાંસો ખાતા આ ઘટનામાં આમલેથા પોલીસે દાખલ કરેલા ગુનામાં પથરીની બીમારીથી કંટાળી આ પગલું ભર્યાનો ખુલાસો થયો છે

તારીખ 27 જાન્યુઆરી એ બપોરે 12.15 વાગે નર્મદા ધારીખેડા સુગર ફેકટરીમાં કામ કરતા આકાશભાઇ રવિંદ્રભાઇ પાવરા (ઉવ ૧૯)( રહે ઉમરદા તા.શિરપુર જી.ધુલિયા હાલ રહે ધારીખેડા સુગર ફેકટરી કંપાઉંડ તા.નાંદોદ જી.નર્મદા) એ ફાંસો ખાતા મોતને ભેટ્યો હતો જેમાં આમલેથા પોલીસ મથકે રવિંદ્રભાઇ જામસીંગભાઇ પાવરા જાણ કર્યા મુજબ તમનો દિકરો આકાશ છેલ્લા ૬ મહીનાથી પથરીની બીમારીથી પીડાતા હોઇ અને મજુરી કામનુ ભારણ હોઇ જેથી ટેન્શનમાં આવી જઇ ધારીખેડા સુગર ફેકટરી માં શેરડીનાં બગાશની ગાંસડી બનાવવાના ગોડાઉનમા લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ લેતા મોતને ભેટ્યો હતો.

(11:18 pm IST)