Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગરુડેશ્વરના ઇન્દ્રવર્ણા ગામના અસ્થિર મગજના આધેડે ઝેરી દવા પી જતા મોત

સારવાર દરમિયાન ઇન્દ્રવર્ણા ગામમાં રહેતા કંચનભાઈ મોહનભાઈ તડવી નું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામમાં એક અસ્થિર મગજના આધેડ વ્યક્તિનું ઝેરી દવા પીતા સારવાર દરમિયાન મોત થયું હતું

  પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્દ્રવર્ણા ગામમાં રહેતા કંચનભાઈ મોહનભાઈ તડવી (ઉ.વ.૫૬)એ પોતે અસ્થિર મગજના હોય ગત તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ પોતાના ઘરે પોતાની જાતે કોઈ અજાણી દવા પી જતા તેમને ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલમાં લઈ ગયા બાદ રાજપીપળા હોસ્પીટલમાં રીફર કરાયા બાદ વધુ સારવાર માટે વડોદરાની S.S.G હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં સારવાર દરમિયાન તા.૨૮ જાન્યુઆરી એ તેમનું મોત થયું હતું.

(6:42 pm IST)