Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નડિયાદના પવનચક્કી રોડ પર આવેલ પરાગ સોસાયટીમાં પાટોત્સવનો ફાળો ઉઘરાવવા બાબતે ઝઘડો થતા થયેલ મારામારીમાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

નડિયાદ: શહેરમાં પવનચક્કી રોડ પર આવેલ પરાગ સોસાયટીના રહીશો આગામી તા.--૨૦૨૦ ના રોજ સોસાયટીમાં થનાર ખોડીયાર માતાજીના પાટોત્સવના આયોજન નિમિત્તે ભેગા થયાં હતાં. અને પાટોત્સવમાં થનાર ખર્ચ માટે સોસાયટીમાં રહેતાં રહીશોના ઘરે ફાળો ઉઘરાવવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ સોસાયટીમાં રહેતાં રાજેન્દ્રભાઈ મહીજીભાઈ રાજપુતના ઘર આગળથી જતાં હતાં. તે વખતે રાજેન્દ્રભાઈ તેમના પિતા મહીજીભાઈ રાજપુત, મંજુલાબેન રાજેન્દ્રભાઈ રાજપુત અને મીનાબેન હરીશભાઈ રાજપુતે ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.

દરમિયાન ઉશ્કેરાયેલા રાજેન્દ્રભાઈએ સોસાયટીમાં રહેતાં મહોતભાઈ રાયસીંગભાઈ વાઘેલાને ફેંટો મારી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ રાજેન્દ્રભાઈની પત્ની મંજુલાબેન અને સાળી મીનાબેને ગમેતેમ અપશબ્દો બોલ્યાં હતાં. અને તેઓ પોતાના કપડાં ફાડી પોલીસમાં ફરિયાદ કરી તમામને જેલ ભેગા કરાવી દેશે તેવી ધમકીઓ આપી હતી. બનાવ અંગે મહોતભાઈ રાયસીંગભાઈ વાઘેલાની ફરિયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે રાજેન્દ્રભાઈ મહીજીભાઈ રાજપુત, મહીજીભાઈ રાજપુત, મંજુલાબેન રાજેન્દ્રભાઈ રાજપુત અને મીનાબેન હરીશભાઈ રાજપુત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:53 pm IST)