Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મહેસાણા જિલ્લા પંથકમાં ચોરીઓની ઘટનામાં ભરખમ વધારો: નાગલપુરમાં એસબીઆઇનું એટીએમ તોડી તસ્કરોએ 40 લાખ ઉઠાવી લીધા

મહેસાણા:જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીઓની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળે છે. જેમાં મંગળવારે મહેસાણાના નાગલપુરમાં આવેલ વાળીનાથ ચોકમાં કૈલાશપતિ એપાર્ટમેન્ટ પાસેના એસબીઆઈના એટીએમ બુથમાં થયેલી લાખોની ચોરીની ઘટનાનો ઉમેરો થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે અંગે જાણવા મળતી વિગતો અનુસાર વાળીનાથ ચોકમાં સ્ટેટ બેંકના એટીએમ બુથમાં બે મશીનો મુકવામાં આવેલા છે. જેમાં બેંક દ્વારા સોમવારના રોજ આશરે રૃા. ૩૯.૫૦ લાખની રકમ લોડ કરવામાં આવી હતી. એટીએમને અજાણ્યા શખસોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને બન્ને મશીનને નિરાંતે ગેસ કટરથી કાપીને તેમાં મુકવામાં આવેલ લાખો રૃપિયાની ઉઠાંતરી કરીને આરોપીઓ નાસી છુટયા હતા. નોંધપાત્ર છે કે બન્ને એટીએમમાંથી કેટલી રકમની ચોરી થઈ હોવાનું હજુ સુધી સત્તાવાર રીતે જાણવા મળેલ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો  અને બેંકના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

(5:47 pm IST)