Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નાક-કાન-ગળા સહિતના ભાગો ઉપર અતી ક્રૂરતાથી ૪ બુકાની ધારીઓએ ઘા ઝીંકયા હતા : પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા

પત્ની એજ પતિની હત્યા કરાવી : ધમધમાટ

સુરત,તા.૨૯: શહેરનાં પાંડેસરામાં વિસ્તારમાં વડોદગામનાં ગણેશનગર પાસે આવેલા મહાવીર નગરનાં એક રૂમમાં શાકભાજીનાં વેપારીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતક પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીનો રહેવાસી છે. તે પત્ની અને ત્રણ સંતાનો સાથે આ રૂમમાં રહેતો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારનાં વડોદગામનાં ગણેશનગર પાસે આવેલા મહાવીર નગરનાં ચાર નંબરનાં રૂમમાંથી આ યુપીનો પરિવાર રહે છે. મૃતક પ્રેમલાલ ગુપ્તા શાકભાજીનો વેપારી અને ગેસ સિલેન્ડર રિપેરિંગનું છૂટક કામ કરતો હતો. આજે સવારે પાંચ કલાકે મૃતકની પત્નીએ બુમાબુમ કરી આસપાસવાળાઓને જણાવ્યું કે ચાર નકાબવાળા માણસો આવીને ઘરમાં ઘુસી ગયા હતાં. જે બાદ પતિનું ગળું કાપીને ભાગી ગયા હતાં. જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસને પત્નીનાં નિવેદન પર શંકા જતા વધુ તપાસ હાથ ધરી છે.

આ હત્યાની તપાસમાં મૃતકનાં પાડોશીઓએ જણાવ્યું કે, પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતાં. જેથી પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની પણ લોકોને શંકા જઇ રહી છે. હાલ પોલીસે મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે ડૉકટરોએ જણાવ્યું છે કે, મૃતકને નાક, ગળા અને ગુપ્તાંગનાં ભાગે ચપ્પુનાં દ્યા મારવામાં આવ્યાં છે. કપાળ પર દ્યસરકાનાં નિશાન પણ મળી આવ્યાં છે.

(4:01 pm IST)