Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

દાંડી સ્મારકના લોકાર્પણના નિમંત્રણમાં ચૂક થયા બાદ સંસદસભ્યે રૂબરૂ જઈને શિવાલક્ષ્મીને આમંત્રણ આપ્યું

આવતી કાલે નવસારીના દાંડીમાં ગાંધી સ્મારક કાર્યક્રમમાં ગાંધીજીના પ્રપૌત્રવધુને આમંત્રણ ન મળ્યાના અહેવાલની અસર પડી છે.અહેવાલ બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓએ ભૂલ સ્વીકારી છે

   . આ કાર્યક્રમ માટે ગાંધીજીના પ્રપૌત્રવધુ શિવલક્ષ્મીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ શિવાલક્ષ્મીને રૂબરૂ મળીને મુલાકાતે નિમંત્રણ પાઠવ્યુ હતુ. સાંસદે નિમંત્રણ નહી આપીને ચૂક થયાનો પણ સ્વીકાર કર્યો હતો

(2:21 pm IST)