Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજપીપળા ખાતે સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ ડૉ.નીખિલભાઈ મહેતાનું સન્માન તેમજ ધાબળા વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે છેલ્લા ઘણા સમય  સમાજસેવા  ટ્રસ્ટ  દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને અનાજની સાથે ઘરવખરીનું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે હાલ કોરોના મહામારી સમયે ડોક્ટરના વ્યવસાયને ઉજાગર કરનાર ડોક્ટર નીખિલભાઈ મહેતાએ પોતે કોરોનાને મ્હાત આપ્યા બાદ હવે કોરોનાના દર્દીઓની ઘર આંગણેજ ખુબ સારી સેવા કરી રહ્યા છે ત્યારે સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશચન્દ્ર દલાલ,અતુલભાઈ પુરાણી, દક્ષાબેન પટેલ દ્વારા ડોક્ટર નીખિલભાઈ મહેતાનું સાલ ઓઢાડી સંન્માન કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે નેત્ર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી કરણસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ. નીખિલભાઈ મહેતા ને અભિનંદન આપ્યા હતા સાથે સાથે સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપલા દ્વારા સ્વ. નિરંજનભાઈ દલાલ ટ્રસ્ટના સહયોગ થી રાજપીપળાના 200 થી વધુ જરૂરિયાતમંદ લોકોને ટ્રસ્ટી મહેશચંદ્ર દલાલના માર્ગદર્શન હેઠળ ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

(11:26 pm IST)