Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સરહદો પર સહેલાણીઓ સાથે નમ્રતાથી વર્તો : જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદ ઉઠતાં ડીએસપી રાજદિપસિંહ ઝાલાએ ચેક પોસ્ટ પરના પોલીસ કર્મીઓને દમણ કે સેલવાસથી આવતા પ્રવાસીઓ સાથે નમ્રતા પૂર્વક વાત કરવાનું અકિલા સાથે વાતચીત માં જણાવ્યું હતું.ગુજરાતના અનેક લોકો દમણ કે સેલવાસમાં પ્રવાસે જતા હોય છે. કેટલાક લોકો ત્યાંથી દારૂ પીને તો કેટલાકો દારૂ લઇને આવતા હોય છે. આવા ગણ્યા ગાંઠ્યા લોકોને વાંકે સારા લોકોને હેરાનગતી થતી હતી. જેને લઇ વલસાડ જિલ્લાના પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ તમામ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસને તમામ લોકો સાથે વિનમ્રતાથી વાત કરવા જણાવ્યું છે.

(10:08 pm IST)