Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ૧૬ નગરપાલિકામાં સૌર આધારિત વીજ પ્લાન્ટ સહિત ભૂગર્ભ ગટર યોજના તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ- ખાતમૂહુર્ત કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે મંગળવાર તા. ૨૯ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વિવિધ ૧૬ નગરપાલિકામાં સૌરઊર્જા આધારિત વીજ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર યોજનાના કામોનું ઇ-ખાતમૂર્હુત તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.
સવારે ૧૦.૩૦ કલાકે ગાંધીનગરથી યોજાનાર ઓનલાઇન કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યની વિવિધ ૧૬ નગરપાલિકાઓના ૨૨ STP-WTP માટે સૌરઊર્જા આધારિત વીજ પ્લાન્ટ, રાજપીપળા ખાતે ભૂગર્ભ ગટર યોજનાના કામોનું ઇ-ખાતમૂર્હુત તેમજ સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

(6:58 pm IST)