Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સુરતના પાંડેસરામાં યુવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના પાંડેસરા નાગશેન નગરમાં આજે સવારે ઉભેલા થ્રી વ્હીલ ટેમ્પાના પાછળના ભાગે જેકેટ ભેરવાઈ જતાં યુવાનને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો લાગી જતા કે અન્ય કોઇ કારણસર તેનું મોત થયું હતું

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા રવિનગર પાસે ભગવાન મેસ નજીક રહેતા 25 વર્ષીય શંકર શ્રીભૂષણ જેના આજે સવારે પાંડેસરા વિસ્તારના નાગશેન નગર પાસે ઉદીયા સ્કૂલ પાસે મુકેલા થ્રી વ્હીલ ટેમ્પોના પાછળના ભાગે એંગલ સાથે તેણે પહેરેલું જેકેટ ભેરવાઈ ગયું હતું. જેના લીધે તેને ગળે ફાંસો લાગવાની શક્યતા અથવા કોઈ અન્ય કારણથી મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે. આ રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા યુવાનનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે શંકર મૂળ ઓરિસ્સાના ગંજામના વતની હતા અને તે સંચા ખાતામાં કામ કરતા હતા. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)