Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ચૂંટણી પહેલા ખાતમુહુર્તો-લોકાર્પણોની હારમાળા સર્જાશેઃ જિલ્લાવાર માહિતી મંગાવતી સરકાર

રાજકોટ તા. ર૮ : રાજય સરકારે તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી પૂર્વે વિકાસકામોના ખાતમુહુર્તો અને લોકાર્પણો કરવા જિલ્લાવાર માહીતી મંગાવી છે ટુંક સમયમાં કાર્યક્રમોનો દોર શરૂ થનાર છે.

ફેબ્રુઆરીમાં તાલુકા-જિલ્લા પંચાયતો તથા પાલિકાઓની ચૂંટણી થનાર છે. તેની આચારસંહિતા જાન્યુઆરી મધ્યમાં લાગુ પડશે. રાજય સરકારના પૂર્વે સરકારી અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ હસ્તકની યોજનાઓના ખાતમુહુર્ત અને ઉદ્દઘાટનો કરવા માંગે છે. જે તે કામના જશ લેવા ઉપરાંત સમારંભો દ્વારા જનસંપર્ક કરવાનો હેતું છે. રસ્તા, પાણી, લાઇટ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ વગેરે ક્ષેત્રેના કાર્યક્રમો કરવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયાં ચૂંટણી થવાની છે તે પાલિકા અને પંચાયતોની મુદત પૂરી થતા હાલ વહીવટદાર શાસન છે.

(3:43 pm IST)