Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

હિંમતનગરમાં પૂ. મહંતસ્વામીનું આગમનઃ હરિભકતોમાં હરખની હેલી

પૂ.મહંતસ્વામીના સાનિધ્યમાં બીજી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોઃ પૂ.શ્રી હરિભકતોને સવારની પૂજા અને સાંજની સભામાં આપશે દર્શન

સાબરકાંઠાના હિંમતનગરના આંગણે  બીએપીએસના વડા પૂજય મહંત સ્વામીનું આગમન થતા હરિભકતોમાં હરખની હેલી છવાઈ છે હરિભકતોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી ૨૭ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી ૨૦૧૮ સુધી સાબરકાંઠામાં રોકાણ કરશે.પૂજય મંહત સ્વામીના સાંનિધ્યમાં આજથી બીજી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે પૂજય મહંત સ્વામી હરિભકતોને સવારની પૂજામાં અને સાંજની સભામાં એમ બે સમયે દર્શન આપશે. તેમનું રોકાણ હિંમતનગર મંદિર ખાતે રહેશે. મહંત સ્વામીના આગમને મંદિરમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી તેમજ મંદિર સંચાલકો દ્વારા હરિભકતો માટે તેમજ દર્શાનાર્થીઓ માટે રહેવાની તેમજ બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

(11:54 am IST)