Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દાહોદમાં છ મહિના પહેલાં લગ્ન કરેલ દંપત્તિની ગળેફાંસો ખાઇ આત્મહત્યા:ચકચાર

સરસ્વતીનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા દંપતીએ પંખા સાથે લટકી જીવ દીધો

દાહોદમાં છ મહિના પહેલાં જ લગ્ન થયેલા દંપત્તિએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દંપત્તિએ કેમ આત્મહત્યા કરી તે અંગે હજુ કોઇ કારણ સામે આવ્યું નથી.

  મળતી વિગત મુજબ દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં એક દંપત્તિ પરિવાર સાથે રહેતો હતો. અગમ્ય કારણોસર રવિવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.પરિવારના સભ્ય તેમના રૂમમાં જતા દંપત્તિની લાશો પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંનેની લાશને નીચે ઉતારીને આગળી કાર્યવાહી હાથધરી હતી

(12:41 pm IST)