Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઝઘડિયાના અવિધા ગામે ખેડુત મંડળના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી ;ચકચાર

ઝઘડીયાના અવિધા ગામે ખેડૂત મંડળના પ્રમુખને ગામના જ ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાત અસમગ્ર્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

ઝગડીયા તાલુકાના અવિધા ગામે ખેડુત મંડળના પ્રમુખ હીરેન ભાઈ સુરેશભાઈપટેલ (રહે અવિધા )નાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ નોંધવી હતી કે પોતે ગામના સંત કૈવલ મંદીરના ઓટલા પર બેઠા હતા. ત્યારે એમના મોબાઈલ પર ગામના જ નિલેશભાઈ બાલુભાઈપટેલનો ફોન આવેલો કે આપના ગામનો અશ્વીનભાઈ મગનભાઈપટેલ અવિધાનાઓ ભોલાભાઈ રમેશભાઈ પટેલના ધરે આવી ગંદી ગાળો બોલે છે. એવું જણાવેલ જેથી હું ત્યાં પહોંચતા અશ્વિનભાઈ મોટે મોટે થી ગાળો બોલીને ભોલાભાઈને ધરની બહાર કાઢવાનું કહી, જેવી તવી ગંદી ગાળો ભાંડીને મારી નાંખવાની ધમકી આપતો હતો. ત્યારે ખેડુત મંડળના સભ્યો પણ હાજર હતા. ઘટના અંગે રાજપારડી પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

(7:59 pm IST)