Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજકરંટ લાગતા કામદાર યુવાનનું મોત

અંકલેશ્વરનાં પદમાવતી નગર પાસેની મંગલદીપ સોસાયટીમાં રહેતો અને જીઆઈડીસી સ્થિત એક્સિસ ફાર્મા કંપનીમાં કામ કરતા એક કામદારને વીજ કરંટ લાગતા તેને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક્સિસ ફાર્મા કંપનીમાં આદર્શ ગબ્બર સિંધ પાલ નામનો યુવાક કામ કરી રહ્યો હતો. દરમિયાન લાકડાનો બામ્બુ હાથમાં લઈને જતાં કોઈક કારણોસર બામ્બુ વીજ વાયરને અડી ગયો હતો. જેના પગલે વીજ કરંટ ઉતરતાં તેને વીજશોક લાગ્યો હતો. આદર્શને તરજ જ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 108 મારફતે સારવાર માટે લઈ જવાયો હતો. જેને ફરજ પરનાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

(9:18 pm IST)