Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પાલનપુરમાં એકલી રહેતી મહિલાના ઘરમાં ઘુસી ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કરી નાખતા અરેરાટી

પાલનપુર: શહેરના કૃષ્ણનગર સોસાયટીના એંકાકી જીવન જીવતા વૃધ્ધ મહિલાની પોતાના ઘરમાં ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કરાતા શહેરમાં ચકચાર મચી ગઇ છે. જોકે હત્યાના બનાવના પગલપોલીસ ઘટનાસ્થળે   દોડી આવી  હતી અને કયા કારણોસર મહિલાની હત્યા કરાઇ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકની હદ વિસ્તારની કૃષ્ણનગર સોસાયટીમાં એંકાકી જીવન જીવતા   રમાબેન પટેલ આજે સવારે પોતાના ઘરે  રોજિંદા કામથી પરવારીને બેઠા હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમોએ આવી અને ઘરનું બારણું ખોલ્યું હતું અને ત્યારબાદ રમાબેન પટેલ કંઈ સમજે તે પહેલાં આ ત્રણે અજાણ્યા હત્યારાઓએ તેમને પકડી મોંઢામાં ડુચો મારી હત્યા કરી હોવાનું પોલીસને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. અજાણ્યા શખ્સોએ  હત્યાને અંજામ આપી ઘરમાં પડેલી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી હતી.

(5:47 pm IST)