Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ:ઝેરીબાપુની ખુલ્લેઆમ દાદાગીરી : હથિયાર બતાવી રૂપિયાના ઉઘરાણા :લોકોમાં ભારે રોષ ભભૂક્યો

અસામાજિકો વિરુદ્ધ કાર્યવાહી નહિ કરાય તો સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવશે :આંદોલનની ચીમકી

 

અમદાવાદ :અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યાનું જણાય છે તેનો ત્રાસ વધી રહ્યો છે. અસામાજિક તત્વો હવે ખુલ્લેઆમ વેપારીઓ પાસે હપ્તાઓ ઉઘરાવી રહ્યાં છે. તત્વો હાથ રિવોલ્વર લઈને હપ્તાઓ ઉઘરાવી રહ્યાં છે  અમદાવાદના નિકોલમાં આવેલા ઉત્તમનગરમા ખુલ્લેઆમ  દાદાગીરીથી હથિયાર ધરી રૂપીયા ઉધરાવતા હોય તેવા CCTVના ફુટેજ પણ સામે આવ્યા છે.

   સ્થાનિકોના કથન મુજબ આવા આવારા ગુંડાગર્દી કરનારા તત્વો મહિલાઓની છેડતી પણ કરી રહ્યાં છે. ઝેરીબાપુનો ત્રાસ વિસ્તારમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે પરંતુ પોલીસ મુકબધિર બનીને બધું જોઇ રહી છે. જો કે ઘટનાથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે.

ઠક્કર પરિવાર પાસેથી ઝેરીબાપુ નામનો વ્યક્તિ ધાક ધમકીથી રૂપિયા ઉધરાવે છે. આવારા તત્વો મહિલાઓની છેડતી પણ કરી રહ્યા છે. ઝેરીબાપુનો ત્રાસ વિસ્તારમાં વધી રહ્યો છે અને પોલીસ મુકબધિર બની છે. ઘટનાથી સ્થાનિકોમાં રોષ જાગ્યો છે.

ઝેરી બાપુના ત્રાસના લીધે લોકો પોલીસ પાસે કોઈ ન્યાયની આશા રાખી નથી રહી. સ્થાનિક સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે,આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી થાય તો આગામી દિવસોમાં તમામ લોકો દ્વારા રસ્તા પર ઉતરી આવી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

(11:06 pm IST)