Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આણંદમાં જમીનની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી: સામસામે ફરિયાદના આધારે તપાસ શરૂ

આણંદ: શહેરના કાનાકુઈ સામે આવેલા રાજપાર્ક સોસાયટીની બાજુની જમીનની તકરારમાં થયેલી મારામારી સંદર્ભે ક્રોસ ફરિયાદ દાખલ થવા પામી છે જેમાં સામા પક્ષે ચાર વ્યક્તિઓને ધારીયુ અને લાકડાના ડંડાથી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

ફરિયાદી પિન્કેશકુમાર કનુભાઈ પટેલે ગઈકાલે મોડીરાત્રે શહેર પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તેમની પત્નીને ફોન કરીને જણાવ્યું હતુ કે, તેઓ તથા સાસુ ખેતરમાં બેઠા હતા ત્યારે ભરતભાઈ પરસોત્તમભાઈ વાઘેલા અને મનોજભાઈ ફતેસિંહ ચાવડા લાકડી લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને અહીં કેમ બેઠા છો તેમ કહી મારવા ફરી વળ્યા હતા જમાં તેણીને, સાસુ તથા પુત્રને ઈજાઓ થવા પામી છે. જેથી પીન્કેેશકુમાર તુરંત જ ખેતરે પહોંચી ગયા હતા અને પોતાની પત્ની સાથે વાત કરતા હતા ત્યારે અચાનક પરસોત્તમભાઈ શંકરભાઈ વાઘેલા અને અજયભાઈ ભાનુભાઈ વાઘલા ધારીયુ અન ેલાકડાના ડંડા લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેમ ગાળો બોલીને તુ અહીં કેમ આવેલ છે, આ જમીન અમારી છે. 

(5:41 pm IST)